Advertisement
Author: નોબત સમાચાર

ગુજરી બજારમાંથી મોબાઈલ ફોન સેરવાઈ ગયાની ફરિયાદ કરાઈ

રૂ।.૧૬૫૦૦નો ફોન ઉપડી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના સુભાષબ્રિજ નીચે સવા મહિના પહેલાં ભરાયેલી ગુજરી બજારમાંથી એક આસામીનો રૂ।.૧૬૫૦૦ની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા નાગમતી ભવન આવાસમાં રહેતા બ્રિજભૂષણ જીતેનભાઈ તિવારી નામના પ્રૌઢ ગઈ તા.૩૦ ઓક્ટોબરની બપોરે સુભાષબ્રિજ નીચે નદીના પટમાં ભરાયેલી ગુજરી બજારમાં આવ્યા હતા.

આ વેળાએ તેમની પાસે રહેલો વીવો કંપનીનો રૂ।.૧૬૫૦૦ની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયો હતો. જેની ગઈકાલે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh