Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૨૫ હજાર વળતર પેટે પણ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૨: જોડિયાના બેરાજા ગામમાં વીજ કંપની દ્વારા કરાયેલા ચેકીંગમાં એક આસામી સીધુ વીજ જોડાણ મેળવી વીજળી વાપરતા મળી આવતા ફોજદારી ફરિયાદ કરાઈ હતી. અદાલતે તે આસામીને બે વર્ષની કેદ અને રૂ.૧ હજારનો દંડ તેમજ રૂ.રપ હજાર વળતર પેટે વીજ કંપનીને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જોડિયા તાલુકાના બેરાજા ગામમાં થોડા મહિનાઓ પહેલાં વીજ કંપનીની ચેકીંગ ટૂકડી દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં ઉમેદસિંહ લખુભા પરમાર નામના આસામીને ત્યાં ચકાસણી કરાતા આ આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં સીધુ વીજ જોડાણ મેળવી લઈ તેનો વપરાશ કરતા મળી આવ્યા હતા.
આ આસામી સામે વીજચોરી અંગે કાર્યવાહી કરી પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં ઈલેકટ્રીકસિટી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કેસ ખાસ વીજ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષ દ્વારા સાત સાહેદની જુબાની તેમજ સત્તર દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી ઉમેદસિંહ લખુભા પરમારને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા રૂ.૧ હજાર દંડ ફટકારવા ઉપરાંત રૂ.રપ હજાર વળતર પેટે વીજ કંપનીને ચૂકવી આપવા આરોપીને ફરમાન કર્યું છે. વીજ કંપની તરફથી વકીલ રાજેશ વશીયર તથા સરકાર પક્ષ તરફથી પીપી ડી.આર. ત્રિવેદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial