Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાધામના ગીતા વિદ્યાલયમાં
જોડિયા તા. રઃ જોડિયાધામના પૂ. વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલય (ધર્મક્ષેત્ર) માં બે દિવસ માટે એકાવનમાં ગીતા જયંતી મહોત્સવની પૂ. મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
તા. ૩૦/૧૧ ના સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી સંતો-કથાકારના સત્સંગ-પ્રવચન યોજાયા હતા. ગીતા વિદ્યાલયના બાળકો તથા ભાવિકો દ્વારા વિશ્વ કલ્યાણાર્થે હોમાત્મક પાઠ યોજાયા હતા.
તા. ૧/૧ર ના દિને બાળકો દ્વારા ગીતાજીના પાઠ, ગુરૂવંદના કરવામાં આવ્યા હતા. ત્યારપછી પૂ. મોરારિબાપુએ તેમના ગીતા સંદેશ પ્રવચનમાં ઉપસ્થિત વડીલોને જણાવ્યું હતું કે, તમારા બાળકોને ગીતા વિદ્યાલયમાં મોકલજો, ગીતા તે વૈશ્વિક ગ્રંથ છે. આજે સમગ્ર વિશ્વમાં તેની કીર્તિ છે. દરેક શાળામાં ગીતાજીના પાઠ થાય છે. જે સ્વાધ્યાય અહીં ગીતા વિદ્યાલયમાં ચાલે છે. અખંડ રામાયણના પાઠ ચાલે છે ત્યારે ગીતાના પાઠ નિરંતર ચાલુ રાખજો.
ગઈકાલે પ૧ મી ગીતા જયંતી હતી અને ૧૦૧ મી જયંતીમાં આપણે હોઈએ કે ના હોઈએ આજના જેવો અવસર નહીં આવે, તમારે નિરંતર ભજન કરી લઈએ. વિષાદ અને પ્રસાદની વચ્ચે ભગવદ્ ગીતા છે.
પૂ. મોરારિબાપુના મંગલ ગીતા સંદેશથી ભાવિકો કૃતાર્થ થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial