Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોની વિસ્તારમાં અતિ વ્યસ્ત માર્ગ પર ખુલ્લી વિશાળ કેનાલ

કચરો-ગંદા પાણી સતત દુર્ગંધ ફેલાવતી કેનાલઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ ર૪ કલાક ટ્રાફિકથી અતિ વ્યસ્ત માર્ગ બન્યો છે. આ માર્ગ પર એક કેનાલનો એક મોટો ભાગ ખુલ્લો છે. જેમાં કચરો, ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાતી રહે છે. આ ઉપરાંત રસ્તાની બાજુમાં જ અને ફૂટપાથ પાસે આવેલી આ ખુલ્લી કેનાલમાં રાહદારીઓ કે ટુ-વ્હીલર જ નહીં, પણ મોટરકાર પણ ખાબકે તેવા અકસ્માતનું જોખમ તોળાયેલું રહે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોના વિકાસ કામોની જાહેરાતો થાય છે ત્યારે આ મસમોટી ખુલ્લી કેનાલની સમસ્યાનો ઉકેલ લાવવા કેમ કોઈફાળવણી થતી નથી. તંત્રને આટલી મોટી ગંદકીથી ખદબદતી અને અકસ્માત સર્જે છે તેવી જોખમી ખુલ્લી કેનાલ કેમ દેખાતી નથી!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh