Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. પ અને ૬ ડિસેમ્બરના રોજ
જામનગર તા. રઃ જિલ્લા હોમગાર્ડઝ દ્વારા આગામી છઠ્ઠી ડિસેમ્બર, હોમગાર્ડઝ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ તારીખ પાંચ ડિસેમ્બર, ર૦રપ ને શુક્રવાનાર સાંજે ૬-૩૦ કલાકે જિલ્લા હોમગાર્ડઝ કચેરીથી મશાલ અને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશાલ રેલીને આમંત્રિત મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે જે જિલ્લા હોમગાર્ડઝ કચેરીથી શરૂ થઈ લાલબંગલા સર્કલ, ભીડભંજન મહાદેવ મંદિર, ટાઉનહોલ સર્કલ થઈને લાલબંગલા પાસે આવેલ સિટી યુનિટની કચેરીમાં પૂર્ણ થશે.
સ્થાપના દિવસ તારીખ પાંચ ડિસેમ્બર, ર૦રપ ને શનિવારના સવારે ૭-૩૦ કલાકે જિલ્લા હોમગાર્ડઝ કચેરીથી પ્રભાત ફેરી રૂપે હોમગાર્ડઝ સભ્યો ટાઉનહોલમાં પહોંચશે. ત્યારપછી સવારે ૯-૩૦ કલાકથી ટાઉનહોલમાં ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયસ પ્રોગ્રામ શરૂ થશે. આ પ્રસંગે હોમગાર્ડઝના જવાનોની ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામાં આવશે. જામનગરના નાગરિકોને આ જાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવા જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial