Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સાહિત્યકારને એક સાથે બે પુરસ્કારઃ
જામનગર તા. ૨: જામનગરના વરિષ્ઠ સાહિત્યકાર ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને ગુજરાત સાહિત્ય પરિષદના પ્રતિષ્ઠિત બે પુરસ્કાર એક સાથે એનાયત થતાં નગરના કલા ગૌરવમાં વધારો થયો છે.
ડો. સતિષ વ્યાસના પુસ્તક 'આગવો કબીર' માટે વર્ષ ૨૦૨૦ માટેનો પ્રતિષ્ઠિત અરવિંદ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. જ્યારે તેમના અન્ય પુસ્તક 'રવિન્દ્રનાથનો કલાવૈભવ' માટે તેઓને વર્ષ ૨૦૨૦નો શ્રી હરિલાલ માણેકલાલ દેસાઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ અને વરિષ્ઠ સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીના હસ્તે ડો. સતિષ વ્યાસ 'શબ્દ'ને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. નગરના વરિષ્ઠ સાહિત્યકારને ગુજરાતી સાહિત્ય જગતના પ્રતિષ્ઠિત બે એવોર્ડ એક સાથે એનાયત થતા નગરના સાહિત્ય જગતના ગૌરવમાં પણ વધારો થયો છે. અને ડો. સતિષ વ્યાસ 'શબ્દ' પર ચોતરફી અભિનંદની વર્ષા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial