Advertisement
Author: નોબત સમાચાર

સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની ફટકારાઈ સજા

થોડા વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના એક વિસ્તારમાંથી થોડા વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર એક શખ્સ ઝડપાયો હતો. તે કેસ ચાલી જતા પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે ઈસ્માઈલ હસન માંડલીયા નામના શખ્સ સામે પોલીસમાં જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાયો હતો. તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલતા તે ગુન્હો પણ ઉમેરાયો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં ખાસ પોકસો કોર્ટે આરોપી ઈસ્માઈલ હસન માંડલીયાને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની કેદ ફટકારી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ અમિત પરમાર, રાહુલ પરમાર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh