Advertisement
Author: નોબત સમાચાર

નગરના વેપારીએ કરેલા ચેક પરતના કેસમાં ખંભાળિયાના વેપારીને કેદની સજા

રૂ.૯૭ હજાર વળતર પેટે ચૂકવવા આદેશઃ

જામનગર તા.૧૧ : જામનગરના એક વેપારીએ ખંભાળિયાના વેપારી સામે ચેક પરતની કરેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે.

જામનગરમાં વસવાટ કરતા અને ચેતક એગ્રો કેમિકલ્સના નામથી પેઢી ચલાવતા પ્રફુલભાઈ કાનજીભાઈ પાદરીયા પાસેથી ખંભાળિયામાં ધરતી એગ્રો સેન્ટર નામથી ધંધો કરતા રમેશભાઈ લાખાભાઈ ચેતરીયાએ દવા, બિયારણની ખરીદી કરી હતી. તેની ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતાં પ્રફુલભાઈ પાદરીયાએ જામનગરની અદાલતમાં કેસ દાખલ કર્યાે હતો.

તે કેસમાં સમાધાન થતાં રમેશભાઈએ રૂ.૯૭ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં ભરાતા પરત ફર્યાે હતો. ત્યાર પછી પ્રફુલભાઈએ નોટીસ પાઠવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં મળતા પ્રફુલભાઈએ ફરીથી કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રમેશ ચેતરીયાને એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh