Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં કર્મચારીઓને ૩૦ જુનનો એક ઈજાફો આપવાનો નિર્ણય સ્થગિત

ખંભાળિયા તા. ૧૧: ગુજરાત રાજયની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ ૩૦ જુન સુધીમાં નિવૃત્ત થયા હોય તો તેમને એક ઈજાફો આપવાનો પરિપત્ર થયો હતો. જેના અનુસંધાને હાઈકોર્ટ મેટર થતાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા મંડળો મારફત હાઈકોર્ટમાં જુદી-જુદી પીટીશનો દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટમાં ૨૪૦૦-૨૦૨૪ની અરજી થતાં અરજદારોના એક ઈજાફાના અમલમાં વિસંગતતા ના આવે તે માટે રાજયના શિક્ષણ વિભાગના નાયબ વિભાગ નિયામકશ્રી દ્વારા જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં થયેલ અરજીનો આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી ૩૦ જુનનો એક ઈજાફો આપવાની કાર્યવાહી સ્થગીત કરવા આદેશ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh