Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મૃત્યુ

જામનગર તા. ૧૧: ભાટિયા નજીક હર્ષદ માર્ગે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘવાયેલા જામનગરના એક બાઈક સવારનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

જામનગરમાં સાંઢીયા પુલ નજીક સરદાર નગરમાં રહેતા નંદાણા ગામના વતની એવા મનસુખભાઈ મજીરભાઈ ડાભી (ઉ.વ. ૩૬) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ભાટિયા પાસેના હર્ષદ તરફના માર્ગે પસાર થતો હતો. આ સમયે અન્ય એક બાઈક ચાલક મનસુખભાઈના બાઈકને હડફેટમાં લેતા અકસ્માત થયો હતો.

આ બનાવમાં મનસુખભાઈને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવારમાં મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે ગોપાલભાઈ મયુરભાઈ ડાભીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કલ્યાણપુર પોલીસે બાઈક ચાલક દેવસીભાઈ કાનાભાઈ કોટા (રે. ભોગાત) સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh