Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં
જામનગર તા. ૧૭: ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-૩ ના આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજથી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં અંદાજે રપ હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના હડતાલના એલાન મુજબ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે.
જામનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વી.પી. જાડેજા, મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા, કન્વિનર હિતેષભાઈ ચૌહાણની આગેવાની હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યા પ્રમાણે આરોગ્ય કર્મચારીઓના ટેકનિકલ પે-ગ્રેડનો પ્રશ્ન ઉકેલાયો નથી. ખાતાકીય પરીક્ષા રદ્ કરવાની માંગણીનો સ્વીકાર થયો નથી. આ પરશ્નો સહિત અન્ય પ્રશ્નો અંગે આરોગ્ય કર્મચારીઓએ ધરણાં કર્યા, દેખાવો કર્યા, માસ સીએલ પર જઈને વિરોધ કર્યો હતો, છતાં સરકાર દ્વારા કોઈ પગલાં કે નિર્ણય લેવાયા નથી. અગાઉ પણ સરકારના મંત્રીઓએ પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી, પણ અમલ હજી સુધી કરાયો નથી. ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓની કમિટીએ ર૦રર માં લેખિતમાં ભલામણ કરવા છતાં કર્મચારીઓની રજૂઆતો પ્રત્યે કોઈ દરકાર કરવામાં આવી નથી, જેથી આજથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial