Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-અમદાવાદ વચ્ચે આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ સંપન્ન

જામનગરમાં તા. ૭ થી ૧૧ માર્ચ સુધી અમદાવાદના ૨૭ યુવાઓએ મેળવી વિવિધ માહિતી

જામનગર તા. ૧૭: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત (નહેરૂ યુવા કેન્દ્ર) દ્વારા તા.૦૭ માર્ચથી તા.૧૧ માર્ચ ૨૦૨૫ સુધી અમદાવાદ અને જામનગર જિલ્લા વચ્ચે આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી ૨૭ યુવા સ્વયંસેવકો પાંચ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા જામનગર પહોચ્યાં હતા.

કાર્યક્રમ અંતર્ગત જામનગર એનસીસીના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી.શશી, એનડીસીના સંસ્થાપક અને પ્રેરણાદાયક વક્તા જયેશ વાઘેલા, હરીશભાઈ ખીમસૂરિયા અને મહિપતસિંહ જાડેજાએ યુવાનોને ભારતિય સેનામાં જોડાવા અંગે પ્રેરણા આપી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા યુવાનોના યોગદાન વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.આ સાથે યુવાઓએ રણમલ તળાવ અને સંગ્રહાલય, આરાધનાધામ, નરારા મરીન નેશલ પાર્ક, સ્વામીનારાયણ મંદિર, ખીજડીયા પક્ષી અભ્યારણ, દરેડ બ્રાસ ઉદ્યોગ વગેરેની મુલાકાત લઈ જામનગર જિલ્લા અંગેની માહિતી મેળવી હતી.

કાર્યક્રમ અંતર્ગત યોગગુરૂ દિક્ષિત તેરૈયાએ યુવાઓને યોગાભ્યાસ કરાવવાની સાથે લાઈફ સ્ટાઇલ વિશે તેમજ એજ્યુકેશન સાયન્સ સેન્ટર ધ્રોલના સંજય પંડયાએ વિજ્ઞાનિક પ્રયોગો થકી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના અંતર વિશે સમજ આપી હતી. કાર્યક્રમના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ મેયર વિનોદભાઈ ખીમસુરીયાએ યુવાઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન માય ભારત જામનગરના જિલા યુવા અધિકારી શિખર રસ્તોગીના માર્ગદર્શન હેઠળ માય ભારત જામનગરના સ્વયંસેવક તેમજ યુથ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh