Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશાની હાલતમાં રખડતા શખ્સોને પકડી પાડવા પેટ્રોલિંગ રહેશે યથાવતઃ
જામનગરમાં ગઈકાલે ખ્રિસ્તીઓના નવા વર્ષ-નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં કેટલાક તત્ત્વો નશાની હાલતમાં ફરી, વાહન ચલાવી અન્યની જિંદગી પર પણ જોખમ સર્જતા હોવાથી પોલીસ દ્વારા આવા તત્ત્વોને પાંજરે પુરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી સિટી એ ડિવિઝન તેમજ બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અને જામનગર શહેર સાથે જોડાયેલા ધોરીમાર્ગાે પર એલસીબી, એસઓજીના સ્ટાફે ડ્રાઈવ ગોઠવી હતી. જેમાં સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તેમજ પીએસઆઈ એમ.કે. બ્લોચ, પીએસઆઈ ડી.જી. રામાનુજ સહિતના પોલીસ કાફલાએ ખંભાળિયા નાકા, સાધના કોલોની, પવનચક્કી, હવાઈચોક તેમજ સિટી બી ડિવિઝનના સ્ટાફે બેડી નાકા સહિતના વિસ્તારોમાં મોડીરાત્રિ સુધી પેટ્રોલિંગ કર્યું હતું. ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોક્ત ચેકીંગ કાર્યવાહી આગામી તા.૩૧ ડિસેમ્બર સુધી યથાવત રાખવામાં આવશે અને નશાની હાલતમાં રખડતા અથવા વાહન ચલાવતા અને રોમિયોગીરી કરતા તત્ત્વોને સીધાદોર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial