Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૨૬: જામજોધપુરના મેથાણ ગામમાં એક ખાણ સામે આવેલી વીડીમાં જઈ એક પરપ્રાંતીય તરૂણીએ કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં લાખાભાઈ સીંધવ નામના આસામીની ખાણ પાસે મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વતની કાંતુભાઈ ભુંડીયાભાઈ દેવધા નામના ખેતમજૂરના તેર વર્ષના પુત્રી ટીનાબેન પણ પિતાની સાથે ત્યાં આવીને રહેતા હતા.
આ તરૂણીએ ગઈકાલે સવારે કોઈ અગમ્ય કારણથી આ ખાણ નજીક આવેલી વીડીમાં જઈ એક ઝાડમાં ચુંદડી બાંધી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ બપોરે થતાં આ તરૂણીને નીચે ઉતારીને ચકાસવામાં આવ્યા હતા. તેણી મૃત્યુ પામેલા જણાઈ આવતા અનિલ હુબલીયાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે અનિલનું નિવેદન નોંધી આ તરૂણીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial