Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના ખામનાથ નજીક
ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ખામનાથ મહાદેવ ૫ાસે ઘી નદી પર ૧૨૧ વર્ષ જુનો રાજાશાહીના સમયનો કેનેડી બ્રિજ આવેલો છે. જે તદ્ન જર્જરિત થઈ ગયો હોય, નવો બ્રિજ બનાવવા રાજ્ય સરકારે ખાસ ગ્રાન્ટ ધારાસભ્ય તથા તત્કલીન રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના ખાસ પ્રયાસોથી ફાળવી હતી.
જુના પૂલને તોડીને નવો બનાવવાનું નક્કી કરેલું તથા છ કરોડ રૂપિયા પાલિકા નિયામકને પણ ફાળવી દીધેલા, તે પછી ખંભાળીયા શહેરના વૃદ્ધો દ્વારા જુનો રાજાશાહીનો પૂલ સંભારણું હેરીટેજ ગણીને તે રાખીને નવો બનાવવા માંગ કરતા રાજંયમંત્રી તત્કાલીન મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ પૂલ હયાત રાખી બાજુમાં નવો પૂલ બનાવવાનું નક્કી થતાં હાલ આ પૂલ પર જવાનું બંધ હોય, નીચે નદીના પટમાંથી રૂ।. ૮૦ લાખનો વૈકલ્પિક રસ્તો થયો છે. જ્યારે પી.ડબલ્યુ.ડી. તંત્રના કાર્ય.ઈજનેર કેતન પટેલ તથા ડે.ઈજનેર વી. ડાભી દ્વારા નવી કમિટી બનાવીને રાજ્ય સરકારમાં મંજુરી માટે મોકલાઈ છે. ઉલ્લેખનિય છે કે જુનો કેનેડી બ્રિજ ૧૨૧ વર્ષ પહેલા લોખંડ વગરનો બનેલો જે આજે પણ મજબૂત છે. ૧૧૦ ઈંચ વરસાદમાં પણ આ પૂલની એક કાંકરી પણ ખરી નથી. ઈજનેરી કૌશલ્યના અદ્ભૂત નમૂના જેવો આ પૂલ રાખીને નવો પૂલ બનાવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial