Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળેઃ તપાસનો ધમધમાટઃ
લાલપુર તાલુકાના પીપળી ગામમાં આવેલા વાડી વિસ્તારમાં ગઈરાત્રે મધ્યપ્રદેશના પાસીંગની બે મોટરમાં આવેલા કેટલાક શખ્સો ધર્મ પરિવર્તન કરાવતા હોવાની વિગતો મળતા જામનગર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકરો ધસી ગયા હતા. તેની પાછળ પોલીસ પણ આવી પહોંચી હતી. સ્થળ પર કેક કટીંગ કરવા ઉપરાંત જમણવાર ચાલી રહ્યો હતો. તેને અટકાવી દેવાયો હતો. વિહિપ તથા બજરંગદળના કાર્યકરોને જોઈને તે સ્થળે હાજર લોકો દોટ મૂકીને ભાગવા માંડ્યા હતા. અફડાતફડી મચ્યાની જાણ થતાં જામનગરની એલસીબી, એસઓજીની ટીમ પણ આવી પહોંચી હતી. લાલપુરના એએસપી પ્રતિભા પણ ધસી આવ્યા હતા. પોલીસે કેટલાક વ્યક્તિઓને પોલીસ મથકે લઈ જઈ નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial