Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા
જામનગર તા. ૧૧: આવક વેરા વિભાગ દ્વારા જામનગરના મીઠાના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૧પ૦ કરોડના બેનામી આર્થિક વ્યવહારો થયા હોવાનું ખૂલવા પામ્યું છે.
આવક વેરા વિભાગની તમે દેવ સોલ્ટ ગ્રુ૫ ઉપર જામનગર ઉપરાંત અમદાવાદ, મોરબી, માળિયા વગેરે ર૦ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. તેમાં સાડાત્રણ કરોડની રોકડ રકમ, રૂ. ર કરોડ ૪પ લાખની કિંમતનું ૩ કિલો સોનું, વગેરે મળી આવ્યા છે.
આ ઉપરાંત દેવ ગ્રુપની કંપનીઓ દેવ સોલ્ટ પ્રા.લિ., મૈત્રી ડેવલોપર્સ, ડી.કે. એન્ટ્રપ્રાઈઝ પાછળ, અરીહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસના ઘર-ઓફિસને પણ દરોડામાં આવરી લેવાયા હતાં.
દરોડાની ઝપટે આવેલાઓમાં તેમના ગ્રુપની કંપનીઓ વેપાર સાથે સંકળાયેલાઓ, વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત દેવ ગ્રુપના હિતેન્દ્રસિંહ ઝાલાને ત્યાં પણ સર્ચ કામગીરી કરવામાં આવી હતી.
અમદાવાદમાં વૈષ્ણદેવી નજીક શાંતિ ગ્રામ નજીકનોર્થ પાર્ક વિલાના દેવ ગ્રુપના એકમ, રાજપથ ક્લબ પાસેના દેવા હાઉસ, અમદાવાદના ધુમામાં આરોહી ક્લબ પાસેના દેવ ગ્રુપના એકમ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. દેવ ગ્રુપે નાણા હોસ્પિટાલિટી અને રીયલ એસ્ટેટ તરફ ડાયવર્ટ કર્યાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial