Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સતવારા સમાજના અગ્રણીનું ૧૦૧ વર્ષની વયે અવસાન

સહકારી ક્ષેત્ર તથા સતવારા સમાજમાં શોક છવાયોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૬: ખંભાળિયાના સતવારા પીઢ અગ્રણી તથા સામાજિક તથા સહકારી આગેવાન કરસનભાઈ દેવજી સોનગરાનું ૧૦૧ વર્ષની વયે મૃત્યુ થતા ખંભાળિયાના સહકારી ક્ષેત્ર તથા સતવારા સમાજમાં શોકની લાગણી છવાઈ હતી.

ખંભાળિયાના સામાજિક કાર્યકર, દલિત ઉદ્ધારની પ્રવૃત્તિઓમાં અગ્રેસર, એમ.પી. શાહ છાત્રાલયના સ્થાપક એવા સ્વ. કરસનભાઈ વર્ષો સુધી સર્વોદય જુથ સેવા સહકારી મંડળી, શારદા હાઈસ્કૂલ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીય શાળા રાજકોટના વ્યવસ્થા મંડળમાં, અનેક સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી મંડળમાં હતાં. ર૦૧૮ માં ફૂલછાબ દૈનિકનો સામાજિક સેવાનો ખાસ એવોર્ડ પણ તેમને મળ્યો હતો.

પ્રાર્થનાસભા

ખંભાળિયાના સતવારા કરસનભાઈ દેવજીભાઈ સોનગરા (ઉ.વ. ૧૦૧) (મે. દેવજી ઝીણા ગાંધીવાળા) તે શાંતિલાલ (નિવૃત્ત ના.મા.), મહેશભાઈ (નિવૃત્ત ચીફ મેનેજર બી.ઓ.બી.), હેમંતભાઈ નિવૃત્ત એગ્રીક્લ્ચર ઓફિસર), રાજેન્દ્રભાઈ (નિવૃત્ત મામલતદાર) ના પિતાનું તા. ર૪-૪-ર૦રપ ના અવસાન થયું છે.

સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૬-૪-ર૦રપ ના સાંજે પ-૩૦ થી ૬૦ વાગ્યા સુધી એમ.પી. શાહ છાત્રાલય, જડેશ્વર રોડ, ખંભાળિયામાં રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh