Advertisement
Author: નોબત સમાચાર

શ્રી હિંગળાજ માતાજીના મંદિરે ૧૦૭ મો નવચંડી મહાયજ્ઞઃ મહારાસ-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

જામનગરમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગરના ભાનુશાળી ચોકમાં આવેલ શ્રી હિંગળા માતાજીના મંદિરે શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા ૧૦૭ મો નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં જ્ઞાતિરત્ન વેજુમાની પુણ્યતિથિએ બ્રહ્મ ભોજન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેશનલ હાઈસ્કૂલમાં જ્ઞાતિજનોનો મહારાસ યોજાયો હતો. ત્યારપછી આજે વહેલી સવારે હાલારી ભાનુશાળી જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનો નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો અને બપોરે બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારપછી જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળો અને સ્વયંસેવક ભાઈઓએ જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh