Advertisement
Author: નોબત સમાચાર

ભાડા પટ્ટાની જમીનોને કાયદેસર કરી આપવાના સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા

કિસાન કોંગ્રેસ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૬: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ભાડાપટ્ટાની જમીનોને કાયદેસર કરવા નિર્ણય કરાયો છે ત્યારે આ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરીને જેમ રાજય સરકાર મોટા માણસોની જમીનને કાયદેસરતા આપે છે તેમ સરકારી ખરાબામાં ખેડૂતોના ખેતર, બોટ, કૂવા, મકાનને પણ કાયદેસર કરવા માંગ કરી છે.

તેમણે જણાવેલ કે સરકાર દ્વારા વર્ષોથી ભાડાપટ્ટાના જમીન ધારકો છે તેમને જંત્રીના અમુક ટકા ભરવાથી માલિકી હકક સરકાર આપે છે તે નિર્ણય સરકારના માનીતા વ્યકિતને ફાયદો આપ્યા હોવાનું લાગે છે. આ લાભ જેમને મળવાનો છે તે સામાન્ય વ્યકિત નથી પણ કંપનીવાળા, મોટા લોકો છે સામાન્ય માણસ માટે આ કામ નથી. સરકાર જો મોટા વ્યકિત ઉદ્યોગપતિ છે તેમને અમુક ટકા રકમથી હકક માલિકી મળી જાય તો નાના માણસો ગરીબ જે જગ્યાઓમાં હોય ત્યાં પણ કાયદેસર કરી આપવું જોઈએ બુલડોઝર બંધ કરવા જોઈએ.

જે ગામોમાં વર્ષોથી ખેડૂતો સરકારી ખરાબાઓ ખેડી રહ્યા છે. સરકારી જમીનોમાં કૂવા કે બોર કે મકાનો કે ખેતરનો થોડો ભાગ છે તે જમીનો ખેડૂતો તેમના ગામની જંત્રી મુજબ ભાવ પ્રમાણે રકમ ભરવા તૈયાર છે તો ભાડાપટ્ટા ધારકોને ફાયદો કરવા જે નિર્ણય થયો તેવી રીતે ગરીબો તથા ખેડૂતો માટે પણ આવો નિર્ણય કરવા કિસાન કોંગ્રેસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh