Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ૩૪ પાકિસ્તાનીને મોકલાશે પરત

વીઝા પર આવેલા પાક. નાગરિકોને કરાશે દેશભેગાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૬ : કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશભરમાં પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશના પગલે રાજ્યભરમાં આવા શખ્સોને વીણી વીણીને શોધી કાઢી તેમના દેશમાં મોકલી દેવા માટે પોલીસ દ્વારા તજવીજ કરાઈ રહી છે.

જેમાં આ કાર્યવાહી અંતર્ગત અમદાવાદ શહેરમાં થી ૪૫૭ આવા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે અને સુરતમાં પણ કાર્યવાહી આરંભી દેવાઈ છે. તે દરમિયાન જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૪ પાકિસ્તાનીને પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં લોંગ ટર્મના વીઝા ધરાવતા ૪૩૮ અને શોર્ટ ટર્મ વીઝા ધરાવતા ૭ પાકિસ્તાની નાગરિકો હાલમાં હાજર છે ત્યારે લોંગ ટર્મવાળા ૩૧ પાકિસ્તાની નાગરિક જામનગર અને ત્રણ નાગરિક દ્વારકા જિલ્લામાં હોવાની વિગત બહાર આવતા વિઝીટર વીઝા પર આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh