Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનારને રૂા.૪ લાખ વળતર ચૂકવાશેઃ
જામનગર તા.ર૬ : જામનગર જિલ્લાના એક પરિવારની સવા બાર વર્ષની વયવાળી પુત્રીનું લલચાવી ફોસલાવી અઢી વર્ષ પહેલાં એક શખ્સે અપહરણ કર્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં ખાસ અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.
જામનગર જિલ્લામાં વસવાટ કરતા એક પરિવારની ૧૨ વર્ષ અને ૪ મહિનાની વય વાળી તરૂણીને વર્ષ ૨૦૨૨ના ઓક્ટોબર મહિનામાં લલચાવી ફોસલાવી આણંદ જિલ્લાના અજય ચીમનભાઈ ઠાકોરે પોતાની સાથે લઈ જઈ તેણીનું અપહરણ કર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ગુન્હો નોંધાયા પછી પોલીસે આરોપીના સગડ દબાવતા અજય ઠાકોર ઝડપાઈ ગયો હતો. આ શખ્સ તથા સગીરાના તબીબી પરીક્ષણ કરાવવામાં આવતા તેણી પર દુષ્કર્મ ગુજારાયાનું ખૂલ્યું હતું. પોલીસે પોક્સો એક્ટની કલમની પણ નોંધ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી અજય ચીમનભાઈ ઠાકોરને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા અને રૂા.૧૭ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂા.૪ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial