Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંદર બટુકોને સમૂહ જનોઈઃ દાતાઓનું સન્માનઃ પૂર્વ સંધ્યાએ સંગીતનો કાર્યક્રમ
જામનગરના વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા લોહાણા જ્ઞાતિના બટુકો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના પંદર બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. આ પ્રસંગ નિમિત્તે પૂર્વ સંધ્યાએ સંગીત સંધ્યા તથા દાતાઓનું રજવાડી પાઘડી પહેરાવીને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયા હતા. શાસ્ત્રોકતવિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સમૂહ યજ્ઞોપવિત ધારણ કરનારા બટુકોમાં જીવરાજાણી શ્યામ રવિન્દ્રભાઈ, કારીયા સ્મીત મહેશભાઈ, કારીયા શુભમ, સંજયભાઈ, ખાખરીયા તન્મય નિમેષભાઈ, કુંડલીયા આનંદ હિતેષભાઈ, કાનાબાર પિનાક ધવલકુમાર, લુકકા હર્ષ હરેશભાઈ, લાધાણી યથાર્થ કેતનભાઈ, લાધાણી પાર્થ કેતનભાઈ પોપટ આનંદ રાજેશભાઈ, પોપટ ભવ્ય ધર્મેશભાઈ, પોપટ નિશિત ઋષીકેશભાઈ, પોપટ સૌમ્ય ઋષીકેશભાઈ, વિઠ્ઠલાણી વિહાન શ્યામભાઈ અને આથારાણા યશ કુણાલભાઈનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ ભરતભાઈ કાનાબાર સહિતના સંસ્થાના સભ્યો, તેમજ જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, કાર્યકર ભાઈ-બહેનો, મિત્રવર્તુળો દ્વારા જહેમત ઉઠાવી અને પ્રસંગને સફળ બનાવવ્યો હતો. આ પ્રસંગમાં તમામ વિધી લોહાણા જ્ઞાતીના થાનાઈ (ગોર) હિતેષભાઈ, ધવલભાઈ તેમજ અન્ય બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial