Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાના એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી

પોરબંદરના દર્દીને દાખલ કરાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: ચાંદીપુરાના કેસમાં છેલ્લા બે દિવસથી રાહત મળી રહી છે, જ્યારે આજે પોરબંદરના વધુ એક બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે એક દર્દીને રજા આપી દેવામાં આવી છે.

હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા સતત વધતા અત્યાર સુધીકમાં કુલ સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હતાં તેમાંથી પાંચના મૃત્યુ નિપજ્યા હતાં, જ્યારે બે દર્દીઓ સારવાર માટે દાખલ રખાયા હતાં, જેમાંથી એક દર્દીની તબિયત સારી થતા આજે તેને રજા આપવામાં આવી છે, જે જામનગર પંથકનો ૯ માસનો બાળક છે, જેને આજે ઘરે પરત મોકલી દેવાયો છે, જ્યારે જુના એક દર્દી હજુ દાખલ છે.

બીજી તરફ આજે વધુ એક બાળદર્દીને દાખલ કરવામાં આવ્યો છે, જે પોરબંદર પંથકનો છે. આથી હાલની સ્થિતિએ બે દર્દીઓ સારવાર હેઠળ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh