Advertisement
Author: નોબત સમાચાર

દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વરમાં મહાશિવરાત્રિ પર્વે વહેલી સવારથી મોડી રાત સુધી ભકતોની ભીડ

દ્વારકા પંથકના શિવાલયો બમ્ બમ્ ભોલેના નાદથી ગુંજયાઃ

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે દેવભૂમિ દ્વારકા પંથકના શિવાલયો શિવભકતો દ્વારા બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. દ્વારકા નજીકના નાગેશ્વર જયોતિર્લિંગમાં પણ શિવરાત્રિ નિમિત્તે વિશેષ આયોજનો કરાયા હતા. સવારથી જ શિવભકતો બહોળી સંખ્યામાં બમ બમ ભોલેના નાદ સાથે ઉમટી પડયા હતા. પાવન જયોતિર્લિંગ મંદિરના વારાદાર પૂજારી દ્વારા પણ વિશેષ ધાર્મિક આયોજનોમાં સવારે પાંચ વાગ્યે શિવજીની વિશેષ આરતી, બાદમાં આખો દિવસ જગતમંદિર શિવભકતો માટે ખુલ્લું રહ્યુ હતું અને ભકતો દ્વારા પૂજન અર્ચન, જલાભિષેક, દૂધાભિષેક ઈત્યાદિ ધાર્મિક પૂજન વિધિ કરવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યાથી મહાદેવના વિશિષ્ટ શ્રૃંગાર દર્શનની ઝાંખી ઉપસ્થિત ભકતજનોને કરાઈ હતી. રાત્રિના આઠ વાગ્યે શિવજીની મહાઆરતી જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક તથા બહારથી પધારેલાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh