Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ક્રિકેટની વધુ એક સિદ્ધિઃ
જામનગર તા. ર૮: આગામી વર્ષ ર૦ર૬ માં આઈસીસી ટી-ર૦ વુમન્સ વર્લ્ડ કપ માટે આર્જેન્ટિનામાં અમેરિકા (ઝોન) ની ચાર ટીમો વચ્ચે ક્વોલીફાય થવા માટેની ટુર્નામેન્ટ તા. ૭ થી ૧૮ માર્ચ સુધી રમાશે. જેમાં યુએસએ, કેનેડા, બ્રાઝીલ તા આર્જેન્ટિનાની ટીમો ભાગ લેનાર છે. આ ટી-ર૦ મહિલા ક્વોલીફાય ટુર્નામેન્ટ માટે યુએસએની ટીમમાં મૂળ જામનગરની ભક્તિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે.
ભક્તિ શાસ્ત્રી તે જામનગરના પાર્વતીદેવી વિદ્યાલયના સંચાલક ઓમભાઈ શાસ્ત્રીના પુત્રી છે અને ભક્તિ શાસ્ત્રીએ જામનગરમાં ક્રિકેટ બંગલામાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈ જામનગર જિલ્લાની તથા સૌરાષ્ટ્રની ટીમોમાં સ્થાન મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું હતું.
હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની રમતમાં યુએસએની ટીમમાં પસંદગી પામ્યા છે અને જામનગરના ક્રિકેટને વધુ એક ગૌરવવંતી સિદ્ધિ મળી છે. ભક્તિ શાસ્ત્રી એક સારી ઓલ રાઉન્ડર ક્રિકેટર છે અને સૌરાષ્ટ્રની વુમન્સ ટીમમાંથી પસંદગી પામ્યા પછી ભક્તિ વેસ્ટ ઝોનની ટીમમાંથી પણ રમી ચૂકી છે. જામનગરમાં ક્રિકેટ બંગલામાંથી જ તેણીએ સઘન તાલીમ મેળવી આ સિદ્ધિઓ મેળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial