Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: કલ્યાણપુરના રાવલ ગામના એક યુવાન પર નવ વર્ષ પહેલાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના લગધીર કાનાભાઈ મકવાણા નામના યુવાન પર ગઈ તા.૩-૬-૧૬ની રાત્રે અગાઉની બોલાચાલીનો ખાર રાખી હરદાસ લાખા જાદવ, સુભાષ હરદાસ, ડાયા લાખા, સંજય હરદાસ, રૂપીબેન હરદાસ જાદવે પાઈપ, ધોકા, કુહાડાથી જીવલેણ હુમલો કરી માર માર્યાે હતો.
ઉપરોક્ત કેસ દ્વારકાની અદાલતમાં ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જીતેન્દ્ર કે. હિંડોચા, અભિષેક એન. ધ્રુવ તથા નિરવ બી. સામાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial