Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉનાળામાં આહાર-વિહારની આગમચેતી જરૂરી
જામનગર તા. ૨૦: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા ગત અઠવાડીયા દરમ્યાન શહેરમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને જયુસ ગોલાના નમૂના લેવાયા હતા. ઉપરાંત આઈસ ફેકટરીમાં પણ ચેકીંગ કરી જરૂરી સૂચના આપી હતી.
ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા ફૂડવિભાગના અધિકારીઓ દશરથ આસોડીયા અને એમ.પી. જાસોલીયા વગેરે દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ચાર જેટલી આઈસ ફેકટરીની મુલાકાત કરવામાં આવી હતી અને તેમના સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં અવી હતી.
આ ઉપરાંત કોઈ દુકાનોમાં એક્સપાયરી ડેઈટ વાળા ઠંડાપીણાનું વેચાણ થાય છે કે કેમ ? તે પણ ચેકિંગ કરવામાં આવ્યુ હતું.
ખાસ કરીને નાગનાથ ગેઈટ, ત્રણદરવાજા વગેરે વિસ્તારમાં આ મુજબ ચેકિંગ કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત સાતરસ્તાથી ગોલાના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
તેમજ કેરીના રસ અને જયુસની દુકાનોમાંથી ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જામનગર શહેરમાં સાધના કોલોની સહિતના વિસ્તાર અને હાઈ-વે હોટલોમાં હાઈજેનીક ફુડ સંબંધે તપાસણી કરવામાં આવી હતી. કુલ બાર હોટલના સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial