Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક માછીમારે બે માણસ ઓછા રાખતા નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૦: ઓખાના દરિયાકાંઠે ગઈકાલે એસઓજી તથા સ્થાનિક પોલીસે રાખેલી ડ્રાઈવમાં ત્રણ માછીમાર સામે ગુન્હા નોંધાયા છે. સલાયાના બે માછીમાર સામે સ્મોક સિગ્નલ ન રાખવા અંગે કાર્યવાહી કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં દરિયાકાંઠે ગઈકાલે દ્વારા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન શબ્બીર એ-મદીના નામની આઈએનડી જીજે-૩૭-એમએમ ૨૪૨૬ નંબરની બોટની ચકાસણી કરવામાં આવી હતી.
આ બોટના ટંડેલ ઓખાના ભુંગા વિસ્તારમાં રહેતા સુલતાન અનવર સુંભણીયા પાસે ફીશરીઝ વિભાગ પાસે થી મેળવવાનું રહેતું ટોકન ન હોવા છતાં આ શખ્સે જૂના ટોકન પર દરિયામાં જઈ માછીમારી કર્યાનું ખૂલ્યું હતું. તેની સામે ગુન્હો નોંધાયો છે.
તે જ રીતે ઓખાની કનકાઈ જેટી પાસે મહેબુબ લતીફ સુંભણીયા નામના માછીમારે લાંગરેલી બોટમાં પણ જુના ટોકન મુજબ માછીમારી કરાઈ હોવાનું જણાઈ આવતા સુલતાન સામે કાર્યવાહી કરાઈ છે.
ઓખાની ગાંધીનગરીમાં રહેતા સતાર ઈદ્રીશ સોઢા નામના માછીમારે ફીશરીઝ વિભાગ પાસેથી મેળવેલા ટોકન મુજબ બોટમાં માણસો હોવાના બદલે બે માણસ ઓછા જણાઈ આવતા ઓખા મરીન પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે.
સલાયાના નઝીર સીદીક સુંભણીયા નામના માછીમારે અલ-હુસેની નામની જીજે-૩૭-એમએમ ૧૫૩૭ નંબર ની બોટમાં સ્મોક્ સિગ્નલ ન રાખતા અને સલાયાના જ કાસમ શબ્બીર ભાયાએ જીજે-૩૭-એમએમ ૨૬૨ નંબરની બોટમાં પણ સ્મોક સિગ્નલ રાખ્યું ન હતું તેથી બંને સામે ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial