Advertisement
Author: નોબત સમાચાર

કચ્છના જખૌ, લખપત તથા નારાયણ સરોવર પાસે માછીમારી પર પ્રતિબંધ લદાયો

માછીમારોની ૪૮૨ બોટ લાંગરી દેવામાં આવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: કચ્છના જખૌ બંદર પર વાવાઝોડાની ભીતિ પછી હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિ માં દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના અન્ય જિલ્લાના માછીમારોની ૪૮૨ બોટ લાંગરી દેવામાં આવી છે.

કચ્છના જખૌ બંદર ૫ર સ્થાનિક ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ સહિતના અન્ય જિલ્લાઓના માછીમારો ઉચ્ચ કિંમતની માછલી પકડવા માટે આવતા હોય છે. તે દરમિયાન જખૌ, લખપત અને નારાયણ સરોવરના દરિયાઈ વિસ્તારમાં હાલની પરિસ્થિતિ માં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવતા જખૌ બંદર પર ૪૮૨ બોટ અટકી છે.

રાજ્ય સરકારના અન્ય આદેશ ન થાય ત્યાં સુધી દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરવા સુચના આપતા ઉપરોક્ત ત્રણ સ્થળે માછીમારોની બોટ રાખી મુકવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh