Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બચુનગરના રહીશોને હટાવવા કે નહીં, તે હવે થશે નકકીઃ દડો જામ્યુકોના ગ્રાઉન્ડમાં
જામનગર તા. ૨૦: જામનગરમાં બચુનગરના રહેવાસીઓને તેમનો રહેણાંક મકાનો દૂર ખસેડવા અંગે તંત્રે નોટીસો આપી છે. આ તમામ અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતાં, જેમણે પોતાના મકાન સુરક્ષિત રાખવા માંગણી કરી હતી. જામનગરની રંગમતિ નદીમાં રિવરફ્રન્ટ પ્રોજેકટનું આયોજન થયું છે. જે અન્વયે નદીના પટમાં થયેલ અનઅધિકૃત બાંધકામોને નોટીસ અપાઈ હતી. અને આવા બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન અમુક આસામીઓએ કોર્ટમાં દાદ માંગી હતી.
આ પછી ગત ગુરૂવારથી ૧૯૦ આસામીઓને રૂબરૂ સાંભળવા માટે રૂબરૂ બોલાવાયા હતા. અને ત્રણ દિવસમાં ૧૫૯ અસરગ્રસ્તો રૂબરૂ રજુઆત માટે આવ્યા હતા જે તમામની એક જ રજુઆત હતી કે અમો અહીં ૪૦-૪૫ વર્ષથી વસવાટ કરીએ છીએ તો અમારો આશરો તોડશો નહીં.
જો કે ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, અધિકારી મુકેશ વરણવા અને તેની ટીમે તમામની રજુઆતો સાંભળી લેખિત રજુઆતો સ્વીકારી છે.
હવે મહાનગરપાલિકાએ અંતિમ નિર્ણય લેવાનો રહે છે. જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial