Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રિમંદિરમાં પશુપાલન શિક્ષણ શિબિર-પ્રદર્શન

૩૦૦થી વધુ પશુપાલકોએ વિવિધ યોજના વિશે મર્ગર્શન મેળવ્યું

                                                                                                                                                                                                      

પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા શહેરના ત્રિમંદિર ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાની *જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન*નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના ડો. કિરીટ પટેલ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લા સહિત ત્રણેય તાલુકાની પશુપાલન ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન પશુપાલન ખાતાના તાંત્રિક તજજ્ઞો દ્વારા ૩૦૦થી વધુ પશુપાલકોને પશુપાલન થકી સમૃદ્ધિ, આધુનિક પશુપાલન પધ્ધતિઓ, રોગ નિવારણ અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે પશુપાલન ખાતાની યોજનાના ૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૫૬ લાખની સહાયની રેપ્લિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શિબિરમાં પશુપાલકોની જાણકારી માટે વિવિધ માહિતીસભર પ્રદર્શન સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા, જેની તમામ પશુપાલકોએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પશુપાલકોને જિલ્લામાં ચાલતી પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી વિશે માહિતી આપી, વિભાગના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરવા અનુરોધ કરાયો હતો જેથી તેઓ પશુપાલન ક્ષેત્રની નવીનતમ માહિતીથી માહિતગાર રહે. આ સમગ્ર કાર્યક્રમ થકી પશુપાલકોને પોતાની આવક વધારવા અને પશુપાલન વ્યવસાયને વધુ ઉન્નત બનાવવા માટે ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh