Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા સાડા સાતેક લાખની રકમ જમા કરાવ્યા પછી બે શખ્સે સગેવગે કર્યાનો નોંધાયો ગુન્હો

બેંક એકાઉન્ટ વાપરવા આપ્યાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના વધુ બે શખ્સે  રૂ.૭,૪૩,૦૮૨ની રકમ બેંક એકાઉન્ટમાં છએક મહિના પહેલાં જમા કરાવ્યા પછી તેને સગેવગે કરી નાખતા પોલીસે બંને સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્કમાં રહેતા પ્રિન્સ રાજેશભાઈ ચૌહાણ નામના શખ્સે ગુરૂદ્વારા પાસે આવેલી ઈક્વિટાસ બેંક સ્થિત પોતાના ખાતાને વાપરવા માટે આપ્યું હતું. તે ખાતામાં રૂ.૭,૪૩,૦૮૨ની રકમ જમા થઈ હતી. તે પછી પ્રિન્સ ચૌહાણ તથા નવાગામ ઘેડમાં રહેતા ખુશાલ ચૌહાણ નામના શખ્સોએ તે રકમ મેળવી લીધી હતી.

આ બાબતની પોલીસમાં કરાયેલી ફરિયાદ પછી આગળ વધેલી તપાસમાં પ્રિન્સના બેંક એકાઉન્ટમાં ખુશાલ ચૌહાણે આ રકમ જમા કરાવડાવી હતી અને બંને શખ્સે તે રકમની હેરાફેરી કરી નાખી હોવાનું ખૂલ્યું હતું. સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી ધર્મિષ્ઠાબેન ચૌધરીએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh