Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પદ માટે બે ઉમેદવાર મેદાનમાં: સાંજે યોજાશે મતગણતરીઃ સીસીટીવી કેમેરા ગોઠવાયાઃ
જામનગરના વકીલ મંડળના વર્ષ ૨૦૨૬ના સૂત્રધારોની વરણી માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. મંડળમાં નોંધાયેલા ૧૨૫૩ મતદાર-વકીલ મિત્રોએ પ્રમુખ, ખજાનચી, લાયબ્રેરી મંત્રી સહિતના ૧૦ હોદ્દેદારોની વરણી માટે મતાધિકારનો ઉપયોગ કર્યાે હતો. પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા અને ભરતસિંહ જાડેજા મેદાનમાં છે. જ્યારે ખજાનચી પદ માટે ચંદ્રિકાબેન ધંધુકીયા તથા ચાંદનીબેન પોપટ ચૂંટણી લડી રહ્યા છે. મહિલા પ્રતિનિધિની એક બેઠક માટે હર્ષિદાબેન રાઠોડ, ભાવનાબેન સોલંકી, રાધાબેન રાવલીયા ઉમેદવારી કરી ચુક્યા છે. ઉપપ્રમુખપદે રૂચિર રાવલ, મંત્રીપદે મનોજભાઈ ઝવેરી અને સહમંત્રી પદે દીપક ગચ્છર બિનહરીફ રહ્યા છે. મતદાન પૂર્ણ થયા પછી સાંજે મતગણતરી રાખવામાં આવી છે. આજે યોજાયેલા મતદાનમાં બાર કાઉન્સીલના નિયમ મુજબ પાંચ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા તેની દેખરેખ હેઠળ પારદર્શક રીતે મતદાન અને મતગણતરી થશે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાર એસો.ના સુત્રધારોની વરણી માટે પણ આજે સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial