Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નામ બડે ઔર દર્શન છોટે
જામનગર તા. ૧૯: તાજેતરમાં અખબારોમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા સુધારણા અંગે અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા હતાં, પરંતુ આવા કામની પૂર્ણ વિગતો જાહેર થતી નથી.
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને સાંકળનાર ધોરાજી, કંડોરાણા, કાલાવડથી જામનગર સુધીનો રાજ્ય ધોરીમાર્ગમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ર૦૧૪-૧પ માં રૂપાંતર કરવામાં આવ્યું, પરંતુ ૧૧૧ કિ.મી.ના આ માર્ગમાં કામ થયું જ નથી. ખાસ કરીને કાલાવડ-જામનગર વચ્ચે ૪પ કિ.મી.નો માર્ગ જ્યાં અનેક ગોલાઈ, ઢાળ, ઊંચા-નીચા પુલ આવેલ છે ત્યાં કોઈ કામ થયું નથી.
તેવું જ અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે નું આ વખતે અનેક ઢોલ પીટવામાં આવ્યા, પરંતુ કોણે ક્યાં કામ કર્યું તેની કોઈ વિગતો જાહેર થઈ નથી. તેમ જામનગર રિજિયોનલ પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદનભાઈ પંડ્યાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial