Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નામ છોટે પણ દર્શન ખોટે!
ખંભાળિયા તા. ૧૯: હાલાર અને જામનગર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી છૂટો થયેલો અને જામનગરના છ તાલુકા સામે માત્ર ચાર તાલુકા ધરાવતો દ્વારકા દેવભૂમિ જિલ્લો દેવોની ભૂમિ હોય, ચારેય તાલુકામાં વિશિષ્ટ દેવી-દેવતા જગ પ્રસિદ્ધ આવેલા હોય, શહેરી વિકાસમાં પ્રગતિની હરણફાળ મૂકીને જામનગર જિલ્લામાં એક પણ ન.પા. 'એ' ગ્રેડની નથી, ત્યારે દ્વારકા જિલ્લામાં બે હતી અને ત્રીજી 'એ' ગ્રેડની ન.પા. આવતા શહેરી વિકાસમાં ખૂબ વધારો થશે.
દ્વારકા યાત્રાધામના કારણે જ થોડા સમય પહેલા દ્વારકા નગરપાલિકાને 'એ' ગ્રેડની બનાવાઈ તથા ખંભાળિયા નગરપાલિકાને જિલ્લાના વડા મથક તરીકે 'એ' ગ્રેડની બનાવાઈ. બન્ને ન.પા. ઓખા કરતા નાની હોવા છતાં 'એ' ગ્રેડની કરાઈ અને 'બી' ગ્રેડની ઓખા ન.પા. કે જેમાં દ્વારકા જિલ્લાના સૌથી મોટા વિસ્તારો ઓખા, બેટદ્વારકા, મીઠાપુર, સૂરજકરાડી, આરંભડા જેવા આવેલા હોય, 'બી' ગ્રેડની ન.પા. આખરે 'એ' ગ્રેડની બની છે, જેથી પ્રમાણમાં સૌથી નાનો દ્વારકા જિલ્લામાં એકમાત્ર જિલ્લો છે, જ્યાં ત્રણ 'એ' ગ્રેડની ન.પા.ઓ આવેલી છે.
આ 'એ' ગ્રેડની ત્રણેય નગરપાલિકાઓમાં અગાઉ રૂ. ૪ કરોડની ગ્રાન્ટ મળતી હતી, તેના બદલે હવે વિકાસ કામો માટે ત્રિમાસિક ગ્રાન્ટ ૧ર/૧પ કરોડ જેટલી મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial