Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસનું મોદી સરકાર સામે પ્રચંડ વિરોધ-પ્રદર્શનઃ અટકાયત

સોનિયા-રાહુલ ગાંધી સામેની ઈ.ડી.ની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દેતા કોંગીજનો ખુશ... સત્ય મેવ જયતેના નારા લાગ્યાઃ

                                                                                                                                                                                                      

નેશનલ હેરાલ્ડ કેસમાં દેશના ઈ.ડી. દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સામે કેસ કર્યા હતાં. આ કેસોમાં સર્વોચ્ચ અદાલતે ઈ.ડી.ની અરજી જ કાઢી નાખતા કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઈ.ડી. જેવી સંસ્થા ભાજપના ઈશારે કોંગ્રેસના નેતાઓને હેરાન કરવામાં આવે છે, પણ આખરે ન્યાય મંદિરમાં ઈ.ડી.ની અરજી કાઢી નાખવામાં આવતા સત્યનો વિજય થયો છે. આ મુદ્દે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ કાર્યાલય પાસેના રોડથી ભાજપ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોસ્ટર/બેનર અને સત્યામેવ જયતેના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે,આ કાર્યક્રમ સમયે પોલીસે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, મનપા વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટર અલ્તાફ ખફી, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ, કાસમભાઈ જોખિયા, બિપેન્દ્રસિંહ જાડેજા, આનંદ ગોહિલ, યુવા કોંગ્રેસના હોદ્દેદારો, કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh