Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૯: ખંભાળિયામાં રાવલપાડામાં રહેતા એક મહિલાએ સોમવારે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે. ખંભાળિયા શહેરમાં જૂની કોર્ટ નજીક આવેલા રાવલપાડામાં રહેતા કોમલબેન કાંતિલાલ રાઠોડ (ઉ.વ.૩ર) નામના પરિણીતાએ ગયા સોમવારે સવારે પોતાના ઘરમાં કોઈ ન હતું ત્યારે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની બપોરે સાડા બારેક વાગ્યે ઘેર આવેલા પતિ કાંતિલાલ મોહનલાલ રાઠોડને જાણ થતા તેઓએ પત્નીને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મહિલાનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા પોલીસે પતિનું નિવેદન નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial