Advertisement
Author: નોબત સમાચાર

ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને ગુણી દીઠ ૩૦૦ ગ્રામનું નુકસાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે ચાલતી મગફળી ખરીદીમાં ખેડૂતોને ગુણી દીઠ ૩૦૦ ગ્રામનું નુકસાન થતું હોય, અનેક સ્થળે ખરીદીમાં આ બાબતે ઉહાપોહ શરૂ થયો છે, તો કયાંક ફરિયાદો ઉઠવા પામી છે.

ટેકાના ભાવે ખરીદીમાં એક ગુણીમાં ૩૬ કિલોની ભરતી કરવામાં આવે છે જેમાં ૩૫ કિલો મગફળી અને ૭૦૦ ગ્રામનું બારદાન હોય, ૩૫.૭૦૦ કિલો મગફળી બાચકા સહિત હોય, તેના બદલે ૩૬ કિલો પૂરૃં વજન થતા એક ખેડૂતને ટેકાના ભાવે ૭૧ ગુણી વેચાતા ૨૧.૩ કિલોનું નુકસાન રૂ. ૧૫૦૦ જેટલું થતું હોવાનું કહેવાય છે. જો કે, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જ્યાંથી ફરિયાદ આવે ત્યાં આ બાબતે યોગ્ય કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh