Advertisement
Author: નોબત સમાચાર

'ભારતના આત્મા પર હુમલો; આતંકીઓએ કલ્પના ન કરી હોય તેવી આકરી સજા મળશે'

૫હલગામ આતંકવાદી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રથમ ભાષણ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૪: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારની મુલાકાત દરમિયાન પ્રથમ જાહેર ભાષણ કર્યું હતું.

જેમાં વડાપ્રધાને કાર્યક્રમની શરૂઆતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાળ્યું હતું.

આતંકી હુમલા પછી વડાપ્રધાને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે આ ઘટનાથી સમગ્ર દેશ વ્યથિત છે. આ હુમલો ભારતના આત્મા પરનો હુમલો છે.

આ ઘટનામાં ઘાતકી હત્યા કરનારા આતંક-વાદીઓને કલ્પના ન કરી શકો તેવી આકરી સજા ચોક્કસ મળશે જ. એટલું જ નહીં, આતંકવાદીઓના આકાઓની કમર તોડીને તેમને નેસ્તનાબૂદ કરવામાં આવશે. આતંકવાદીઓને મિટ્ટીમાં મેળવી દેશું. હવે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં.

બિહારમાં ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટોનો શિલાન્યાસ તેમજ રૂા. ૧૩,૪૮૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થયા હતાં. રાજ્યના સવાતેર લાખ ગરીબ પરિવારોને પણ મકાનોની ચાવી સોંપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh