Advertisement
Author: નોબત સમાચાર

ઓવરટેકીંગના પ્રશ્ને હુમલો કરવાર પાંચની થઈ મુક્તિ

૧૫ વર્ષ પહેલાંનો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૪ : જામનગરમાં પંદર વર્ષ પહેલાં ઓવરટેકીંગની બાબતે હુમલો થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં કોર્ટે પાંચનો છૂટકારો કર્યાે છે.

જામનગરના અંબર ચોકડી વિસ્તારમાં એક મોટરને ઓવરટેક કરવા બાબતે ગઈ તા.૭-૧૧-૧૦ના દિને હેમતસિંહ મલુજી તથા મહેન્દ્રસિંહ વગેરેને મોટર ચાલક જયદીપ રણમલભાઈ સબાડ સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગુલાબનગર પાસે હુમલો કરાયો હતો.

આરોપી જયદીપ સબાડ અને અન્ય શખ્સોએ લાકડી, ધોકા વડે માર માર્યાની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષના વકીલ રમેશ પારઘીની દલીલો ગ્રાહ્ય રાખી તમામ આરોપીનો છૂટકારો કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh