Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ખામનાથ પુલ નવો બનાવવાના કામમાં ટેન્ડર પ્રક્રિયામાં જરૂરી નાણા નથી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૪: ખંભાળિયામાં ઘી નદી પર ૧ર૦ વર્ષે જુનો કેનેડી બ્રીજ જર્જરિત થયો હોવાના નામે તેને તોડી નાખીને રૂા. ર૬.પ૮ કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું મંજુર થયું છે.

આ પુલ બનાવવાના પ્રથમ તબક્કામાં ૯૦ લાખ ડ્રાયવર્ઝન માટે તથા પાંચેક કરોડ પ્રથમ હપ્તામાં આપેલા હતાં. પાવિસ્તારના આ પુલનું કામ પી.ડબલ્યુ.ડી.ની દેખરેખમાં થવાનું હોય, પી.ડબલ્યુ.ડી. કાર્ય. ઈજનેર યુ.બી. ચૌધરીએ ડિઝાઈન પ્લાન એસ્ટીમેન્ટ વિગેરે બનાવીને ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાવી છે, જ્યારે નિયમ મુજબ ર૬.પ૮ કરોડના કામ માટે પી.ડબલ્યુ.ડી. દ્વારા ટેન્ડરીંગ કરવા ૧૩ કરોડ જેટલી રકમ હોવી જોઈએ તેને બદલે સાડાપાંચ કરોડ જેટલી રહેતા ટેન્ડરીંગ વિલંબમાં પડી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પુલ જર્જરિત થયો હોવાનું જાહેર કરાયા પછી દોઢક વર્ષથી બંધ છે. તાજેતરમાં કોઝવે સાથેનો પાકો ડાયવર્ઝન બનાવાયો છે. હવે નાણા ઘટે છે તેવા કારણોસર ટેન્ડર પ્રક્રિયા વિલંબમાં પડી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh