Advertisement
Author: નોબત સમાચાર

હોમલોનના બાકી હપ્તા ચૂકવી આપવા વીમા કંપનીને ફોરમ દ્વારા થયો આદેશ

લોનધારકનંુ થયું હતું અવસાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૪ : જામનગરના એક આસામીનું હોમલોન મેળવ્યા પછી નિધન થયું હતું. લોનની બાકી રકમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈઙ્મકાર કરતા મામલો ગ્રાહક ફોરમમાં પહોંચ્યો હતો. ફોરમે લોનની બાકી રકમ ચૂકવી આપવા અને ચૂકવાયેલી રકમ પણ પરત આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રિવેદી નામના આસામીએ ઈન્ડિયા સેલ્ટર ફાયનાન્સ કંપની પાસેથી રૂા.૧૦૫૭૩૮૦ની રકમ હોમ લોન પેટે મેળવી હતી. તે અંગે આઈસીઆઈસીઆઈ પ્રુડે. લાઈફ ઈન્સ. કંપની પાસેથી પોલિસી લેવામાં આવી હતી.

પોલિસી અન્વયે લોન મેળવનારનું નિધન થાય તો બાકીના હપ્તા વીમા કંપનીએ કાયદા મુજબ ભરવાના રહે છે તે પોલિસી ચાલુ હતી તે દરમિયાન ભાવેશભાઈનું અવસાન થતાં તેમના પત્ની વિશાખાબેને બેંક તથા વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યાે હતો પરંતુ વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તે દરમિયાન ફાયનાન્સ કરનાર પેઢીએ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી.

આથી ગ્રાહક તકરાર ફોરમમાં વિશાખાબેને ઈન્ડિયા સેલ્ટર તથા આઈસીઆઈસી આઈ પ્રુડે. લાઈફ ઈન્સ્યુરન્સ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે વીમા કંપનીને લોનની જે રકમ બાકી હોય તે ચૂકવી આપવા અને બાકીની રકમ ફરિયાદીને આપી દેવા તેમજ ફરિયાદ ખર્ચના રૂા.પ હજાર અલગથી ચૂકવવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ કપિલ વશીયર, રવિ સોલંકી, મેહુલ સોંદરવા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh