Advertisement
Author: નોબત સમાચાર

હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના નવચંડી મહાયજ્ઞ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

જ્ઞાતિરત્ન વેજુમાંની પુણ્યતિથિએ બ્રહ્મભોજન યોજાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: હાલારી ભાનુશાળીના જ્ઞાતિરત્ન એવા વેજુમાંની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના આશ્રમોમાં પણ પ્રસાદ મોકલવામાં આવે છે. આ ઉપરાંત હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા શ્રી હિંગળાજ માતાજીનો ૧૦૭ મો નવચંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે. જેમાં ભાનુશાળી ચોકમાં આવેલા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે તા. ર૬/૪ ને શનિવારે સવારે પાંચ વાગ્યે યજ્ઞનો પ્રારંભ અને બપોરે ૧ર-૪પ વાગ્યે બિડું હોમાશે. ત્યારપછી સમગ્ર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ વેજુમાંની વાડી, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે તા. રપ/૪ ના રાત્રે નેશનલ હાઈસ્કૂલમાં મહારાસ પણ રાખવાવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળો અને સ્વયંસેવકો બહોળી સંખ્યામાં જહેમત ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh