Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના ૭૦ ન્યાયાધીશની બદલીનો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો આદેશ

નગરના બે ન્યામૂર્તિની પણ બદલીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૪ : જામનગરના બે જજ સહિત રાજયના જુદા જુદા જિલ્લામાં ફરજ બજાવતા કુલ પૈકીના ૭૦ જજની બદલીનો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યની વડી અદાલતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા સિવિલ જજની બદલીઓના કાઢેલા ઓર્ડરમાં કુલ ૭૦ જજ ની બદલીનો હુકમ થયો છે.

આ ઓર્ડરમાં જામનગરના ત્રીજા એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જ્યુડી. મેજી. સંદીપ મનહરકુમારની ચોથા એડી. ડિસ્ટ્રીક્ટ જજ તરીકે જામનગરમાં જ નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ચોથા એડીશનલ સિનિયર સિવિલ જજને એડીશનલ ચીફ જ્યુડી. મેજી. સુનિલ મનહરભાઈ કામદારની અરવલ્લી જિલ્લામાં બીજા એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે બદલી કરાઈ છે.

તે ઉપરાંત સુરત, ભાવનગર, અમદાવાદ, પંચ મહાલ, ભરૂચ, ગાંધીનગર, તાપી, રાજકોટ જિલ્લાના જજની પણ બદલી થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh