Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સહિત પાંચ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૨૪ : ખંભાળિયાના એક યુવતીએ રાજકોટમાં રહેતા પતિ, સાસુ તથા સસરા, દિયર, દેરાણી સામે મેણા મારી ત્રાસ આપ્યા અંગેની અને પતિએ માર મારી હાંકી કાઢયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારની શેરી નં.૭માં રહેતા મનિષાબેન ધનજીભાઈ ગોહેલ ઉર્ફે નીતાબેનના લગ્ન રાજકોટની રૈયા ચોકડી પાસે રહેતા પંકજ ધરમશીભાઈ પાણખાણીયા સાથે થયા પછી લગ્નના બે વર્ષ વિત્યે પતિ સહિતના સાસરિયાઓએ કાઢી મુક્યાની ફરિયાદ પોલીસમાં કરી છે.
પતિ પંકજ તેમજ સાસુ જશુમતીબેન, સસરા ધરમશી ભાઈ વિરજીભાઈ, દિયર પિયુષ, દેરાણી કિરણબેને મેણા મારી ગાળો ભાંડવા ઉપરાંત પતિએ માર મારી ઘરમાંથી કાઢી મુકી ધમકી આપ્યાની રાવ કરાતા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. બારડે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial