Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પરિણીતાને ત્રાસ આપી પતિ તથા દિયરે કવરાવી દીધાની રાવ

મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદઃ

જામનગર તા. ૨૪: જામનગરના બેડેશ્વર નજીક આવેલા રામનગરના ઢાળીયા પાસે વસવાટ કરતા એક પરિણીતાને સાત વર્ષના લગ્ન ગાળામાં પતિ તથા દિયરે નાની બાબતોમાં ઝઘડા કરી મારકૂટ કરવા ઉપરાંત ગાળો ભાંડતા  પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે આવેલા રામનગરના ઢાળીયા પાસે રહેતા બ્રિજરાજસિંહ કિરીટ સિંહ પરમાર સાથે વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિનામાં રાધિકાબા (ઉ.વ.ર૭)ના લગ્ન કરવામાં આવ્યા હતા.

લગ્નના એકાદ વર્ષ પછીથી આ પરિણીતાને પતિ તેમજ દિયર પૃથ્વીરાજસિંહ પરમારે નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેણીને ગાળો ભાંડી મારકૂટ કરાતા આખરે રાધિકાબાએ પતિ તેમજ દિયર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ પી.આર. કારાવદરાએ આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh