Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના એડવોકેટે કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૨: ખંભાળિયાના એક એડવોકેટને વીમા કંપનીએ મેડિકલેઈમમાંથી ખોટી રીતે રકમ કાપી બાકીની રકમ ચૂકવી હતી. તેથી ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે તે રકમ ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
ખંભાળિયામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા ચંદ્રમોલી જોષીએ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિકલેઈમ મેળવ્યા પછી સારવાર લેવી પડી હતી. જેમાં રૂ.૫,૬૬,૦૪૭નો ખર્ચ થયો હતો. તે ખર્ચ અંગે કલેઈમ કરાતા વીમા કંપનીએ રૂ.૪ લાખ જ ચૂકવ્યા હતા.
વીમા કંપનીએ ખોટી રીતે રૂ.૧,૬૬,૦૪૭ કાપી લેતા ગ્રાહક ફોરમમાં ચંદ્રમોલી જોષીએ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૧,૫૮,૪૭૭ તથા રૂ.૨૫૦૦ ફરિયાદ ખર્ચ પેટે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફે વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial