Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં નવા ૬૪ પુસ્તકાલયો ખૂલ્યા, હજુ ૭૧ પુસ્તકાલયો ખુલશેઃ યુવાવર્ગ ખુશ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે છાત્રોને બનશે ઉપયોગી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૩: ગુજરાતના તત્કાલીન મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ ખંભાળીયામાં અદ્યતન સુવિધાઓવાળું પુસ્તકાલય નિર્માણ કરાવવાની સાથે ભાણવડ, કલ્યાણપુર જેવા તાલુકાઓમાં પણ નવા પુસ્તકાલયો ખોલવાની સાથે રાજયમાં ૬૪ નવા પુસ્તકાલયો મંજુર કરવાની સાથે તેમના જ સમયમાં ચાલુ પણ કર્યા હતા. તે પછી રાજ્ય સરકારને પુસ્તકાલયો દ્વારા લોકો ખાસ કરીને યુવાનોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોય વધુ ૭૧ નવા પુસ્તકાલયો ખોલવા માટે આયોજન થયું છે. તથા જિલ્લા અને તાુલકામાં જ્યાં બાકી હશે ત્યાં અદ્યતન સુવિધાઓ સાથેના પુસ્તકાલયો શરૂ થશે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રો-યુવાનોને ખૂબ રાહત થશે.

રાજયમાં હાલ ગ્રંથ૫ાલ તથા લાયબ્રેરીમાં ખાલી જગ્યાઓ હોય, તાકીદે ભરવા માંગણી કરાઈ છે. હાલ ખંભાળીયામાં ગ્રંથપાલ છે તેઓ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાઓ વચ્ચે છે. ૨૦૦ કિ.મી. દૂર સુધી જવું પડે તેવી જ રીતે અનેક પુસ્તકાલયોમાં કાયમી સ્ટાફ નહીં હોવાથી નિયુક્તિની માંગણી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh