Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ભાષાશૈલી, સ્વાધ્યાય, વિષય વસ્તુની સમજ વગેરે સીબીએસસીની સમકક્ષ નથીઃ તજજ્ઞ

પૂર્વ શિક્ષણાધિકારી અને શિક્ષણવિદ્ના ઉપયોગી સૂચનો

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૩: ગુજરાત રાજ્યમાં એક વખતના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે તથા શિક્ષકો-આચાર્યોની ટ્રેનિંગમાં પાયાના અધિકારી તજજ્ઞ તરીકે કામ કરતા ડો. પી.એન. દવે દ્વારા હાલના શિક્ષણ તંત્રના મહત્ત્વના પ્રશ્નો તથા તેના ઉકેલ માટેના સૂચનો પણ રજૂ કર્યા છે, જે ખૂબ જ આવકારદાયક છે.

ખાનગી શાળાઓ માટે અલગ રીતે મોનીટરીંગની વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેનું અલગ મહેકમ રાખવું જોઈએ. જેનો ખર્ચ જે તે શાળાની કુલ ફી આવક પર એકસ્ટ્રા શિક્ષણ કર રૂપે લઈ શકાય અને સુંદર વ્યવસ્થા થાય. ખાનગી શાળાઓ માટે મોનીટરીંગ માટે હાલ બેરોજગાર બી.એડ્ તથા પી.ટી.સી.ને રાખી શકાય જેથી બેરોજગારી પણ ઘટે.

આવા શૈક્ષણિક મોનીટરીંગનું ધ્યાન જિલ્લા કક્ષાએ બ્લોકદીઠ કરી શકાય છે. ગુણવત્તા અંગે રાજ્ય સરકારને રિપોર્ટીંગ કરે.

હાલના પાઠ્યપુસ્તકોમાં ભાષાશૈલી, વિષયવસ્તુની સમજ સ્વાધ્યાય કાર્ય, એકમ સમજુતી આકૃતિ જેવી બાબતો સી.બી.એસ.સી. બોર્ડ સરખામણીમાં નબળી છે તે સુધારવા સૂચન કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh